logo

રામનવમી નિમિત્તે ઓલપાડ ગામ બન્યું રામમય

ઓલપાડ ગામ મા વિશ્વ હિન્દુ પરિષદ ( બજરંગ દળ) રાંદેર જીલ્લો, ઓલપાડ પ્રખંડ દ્વારા આયોજીત
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી નો જન્મોત્સવ ભક્તિ ભાવ સાથે ઉજવાયો હતો.જેમાં સંગીતમય આરતી અને શોભાયાત્રા સહિત ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ઓલપાડ ગામ માં રામનવમી નિમીત્તે સાંજે ભૂતિયા હનુમાનજી ના મંદિરે થી શોભાયાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો ,આ શોભાયાત્રા મા ઓલપાડ ગામ ના અને ઓલપાડ તાલુકા ના સર્વે રામભક્તો , બજરંગ દળ ના કાર્યકરો ભગવા દવજ સાથે રામ ભજનો ,હનુમાન ચાલીસા જેવા સંગીતમય સાથે ઝૂમી ઉઠ્યા હતા અને ઓલપાડ ગામ રામમય બન્યું હતું .
ઓલપાડ ગામના સમગ્ર હિન્દુઓ એ પોતાની દુકાનો બંધ કરી આ શોભાયાત્રા મા જોડાયા હતા.
ઓલપાડ વેપારી મંડળ અને ઓલપાડ પ્રશાસન તંત્ર નો
સારો એવો સાથ સહકાર મળ્યો હતો જેથી આ શોભાયાત્રા સફળતાપૂર્વક સમ્પન્ન થઈ હતી .
વિશ્વ હિન્દુ પરિષદ (બજરંગ દળ) ઓલપાડ, વેપારી મંડળ ઓલપાડ, ઓલપાડ ગ્રામજનો નો અને પ્રશાસન તંત્ર નો આભાર વ્યક્ત કરે છે.

97
5300 views